Découvrez des podcasts liées à Uday Bhayani. Explorez des podcasts avec des thèmes, sujets, et formats similaires. Ces similarités sont calculées grâce à des données tangibles, pas d'extrapolations !
વિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે તે સંદર્ભમાં એક સુંદર સત્ય ઘટના, દુર્જનો, ટીકાકારો વગેરેના ટોળા હોય, ભક્ત એકલો જ હોય. જીવનનું બસ આ જ સનાતન સત્ય છે, જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે, જેમ ઘુવડ સૂર્યના દર્શનથી વિમુખ હોય છે. તેમ તામસ જીવ જ્ઞાનરૂપી સૂર્યથી દૂર હોય છે, તા. ૦૨.૦૪.૨૦૨૨, શનિવારના રોજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રીરામચરિતમાનસ વાંચવાના આગ્રહની વાતો વગેરે વિશે આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-050/ લિંક ઉપર ક્લિક કરો.
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड
Saison 1 · Épisode 49
vendredi 1 avril 2022 • Durée 11:37
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૯) ચાર મિલે ચોસઠ ખિલે.
રામભક્ત રામકથા સાંભળે કે વાંચે એટલે તેનું શરીર પુલકિત થઈ જ જાય. ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર । હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ ॥ વિભીષણજી લંકામાં કેવી રીતે રહે છે તેની વાત. ભક્ત ટીકાકારો વચ્ચે જ રહેતો હોય તે સારું. વિભીષણજીના આ દાંત વચ્ચે જીભના ઉદાહરણના ગુઢ અર્થો. આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-049/ લિંક ઉપર ક્લિક કરો.
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड
Saison 1 · Épisode 48
lundi 21 mars 2022 • Durée 11:28
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૮) કી તુમ્હ રામુ દીન અનુરાગી.
વિભીષણજી શ્રીહનુમાનજીને પુછે છે કે આપ કોઇ હરિભક્ત છો કે દીન અનુરાગી ખુદ હરિ જ છો? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીહનુમાનજી તેઓને રામકથા અને પછી પોતાનો પરિચય આપે છે તે તથા આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ, તે જાણવા માટેના એક સચોટ પ્રયોગની કથા. આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-048/ લિંક ઉપર ક્લિક કરો.
તમામ વાચકોને મહાશીવરાત્રી પર્વની "રામનામની બમ્પર ઓફર" સહ હાર્દિક શુભેચ્છાઓ...
બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રભુ સ્મરણ કરવું એ સજ્જનતાનું એક ચિહ્ન છે. આગલા દિવસનો અંત આજના દિવસની શુભ શરૂઆત હોય છે. રામનામની બમ્પર ઓફર. સારા લોકોનો સંગ કરવાથી કોઇ નુકશાન થતું નથી વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
તુલસીજીનો એક ક્યારો પણ જો આંગણામાં હોય તો તેને પવિત્ર માનવામાં આવે છે. તુલસીજીના અદ્વિતિય ઔષધિય ગુણો અને તેનું મહત્વ, તુલસીજીની ઉત્પતિ અને તેના મહત્વ વિશે, તુલસીજી વિશે એક સુંદર કથા, રાક્ષસોની નગરી લંકામાં રામાયુધ અંકિત મહેલ જોઇને શ્રીહનુમાનજીના તર્ક, આપણે જાગીએ તો દરરોજ છીએ, પરંતુ સાચા સંત મળવાથી જીવનમાં જાગૃતી આવે છે, મિથિલા જેવું નિર્મળ મન હોય, તો જ સીતાજીરૂપી ભક્તિનો જીવનમાં આવિર્ભાવ થાય, ગુરુદેવને અંત:કરણથી પ્રાથના વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
રાવણ આટલો પરાક્રમી અને શક્તિશાળી હોવા છતાં વિભીષણને ભગવાન વિષ્ણુની પુજા કરવાની ના નહોતો પાડતો અને આજકાલ સમાજમાં વ્યાપેલ દંભ અને દેખાડો, ભગવાનને માનવાની બાબતમાં અતાર્કિક વાતો, સર્વધર્મ સમભાવની ભાવના સાથે અન્યની માન્યતાને માન આપવું જોઇએ અને સાથે-સાથે સ્વધર્મને બચાવવાની જવાબદારી, ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના મહેલોને મંદિર કહ્યા અને વિષ્ણુભક્ત વિભીષણજીના ઘરને ભવન માત્ર કહ્યું, આવુ કેમ? “રામાયુધ અંકિત ગૃહ” અર્થાત વિભીષણજીનું ઘર શ્રીરાઘવેન્દ્રના આયુધ એવા ધનુષબાણથી અંકિત હતુ વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૩ | હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા । Sundarkand | सुंदरकांड
Saison 1 · Épisode 43
dimanche 20 février 2022 • Durée 13:13
ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૩) હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા...
શ્રીવાલ્મીકિજીએ રામાયણમાં રાવણ અને અન્ય રાક્ષસોના અંત:પુરનું, કહેવાતું અભદ્ર, વર્ણન આલેખવાની શું જરૂર હતી? અને શ્રીહનુમાનજી માતાજીને શોધવા લંકામાં ગયા, રાક્ષસોના મહેલમાં અંદર પણ ગયા, પરંતુ અંદરની દરેક વસ્તુને આટલી બારીકાઇથી અને ખાસ કરીને સ્ત્રીઓનું આટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવાની શું આવશ્યકતા હતી? પુજારૂમ શયનખંડમાં ન રાખવાની માન્યતા, રાવણ ચુસ્ત શીવભક્ત હતો છતાં વિભીષણજીના મહેલમાં હરિમંદિર બાબતે કોઇ વાંધો નહોતો લેતો કે દંડ પણ નહોતો કરતો, રાવણ બધાની લાગણીઓને માન આપીને વાત્સલ્યભાવ સાથે તથા કૌટુંબિક ભાવનાઓ સાથે ચાલવાવાળો હતો વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
લંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન અને રાક્ષસોના મહેલોમાં જનકનંદીનીની ભાળ ન મળતા શ્રીહનુમાનજી રાવણના મહેલમાં જાય છે અને તેના મહેલનું અંદરનું વર્ણન, સમાજમાં પ્રવર્તતો દંભ અને આપણી તમામ ઇન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં જોડાવાની પ્રેરણા આપવા માટે આપણું મન જ જવાબદાર છે વગેરે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.
ભગવાન શબ્દની ટૂંકમાં વ્યાખ્યા, સંપાતિએ કહ્યુ હતું કે માતા જાનકીજી અશોકવાટીકામાં વૃક્ષ નીચે બેઠા છે, તો શ્રીહનુમાનજીએ પહેલા મહેલોમાં શોધ કેમ કરી હશે? અને શ્રીહનુમાનજી માતા સીતાજીને મંદિરોમાં કેમ શોધવા ગયા હશે? વગેરે પ્રશ્નોના જવાબ, લંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન વગેરે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.